Click on top right corner of a book to start reading online.
About this book
ન્યાયવિશારદ, મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા સાહેબે ઉપદેશ રહસ્ય ગ્રંથમાં જિનોપદેશનું એ જ રહસ્ય બતાવ્યું છે કે “જેણે મોક્ષ પામવો હોય તે આત્માએ ત્રિલોકગુરુ,તારક તીર્થકરદેવોની આજ્ઞાનું યથાશક્ય પાલન અને છેવટે તમામ આજ્ઞાઓ પ્રત્યે કટ્ટર પક્ષપાત ધારણ કરવો જોઇએ. આવું આજ્ઞા-બહુમાન એ જ જેના જીવનના શ્વાસપ્રાણ બને તે જ આત્માઓ મુક્તિના પરમપદને પામી શકે, અન્યથા નહીં.”
આ અદ્ભુત ગ્રન્થ ઉપર પૂજ્યશ્રીએ અંતરીક્ષ તીર્થમાં મુનિઓ અને મુમુક્ષુઓને જે વાચના આપેલી તેને અક્ષરદેહે આ પુસ્તકમાં સંકલિત કરવામાં આવી છે.
આ પુસ્તકનું વાંચન કેટલાક અપ્રસિદ્ધ રહેતા જણાતા શાસ્ત્રના અતિ સુંદર પદાર્થોને પ્રકાશમાં લાવશે; જે પ્રકાશ વાંચકોની કેટલીક ગેરસમજોને દૂર કરશે, એની સાથોસાથ હૈયે સતત એવું ભાન થયા કરશે કે સંસારસાગરમાં ડુબી ન મરવા માટે એક જ રસ્તો જણાય છે, “આધાર છે આજ્ઞા.”
હેતુ, સ્વરૂપ, અનુબંધ અહિંસા અંગે સુંદર સમજણ આપી છે. સ્વરૂપહિંસા તે હિંસા નથી એમ જણાવ્યું છે.
શુભ- પરિણતિના બે ઉપાયો - શાસ્ત્રપરિશીલન અને માર્ગાનુસારિતા - જણાવ્યા છે.
ગુરુકુલવાસના અપરંપાર લાભો જણાવ્યા છે.
દ્રવ્યાજ્ઞા અને ભાવાજ્ઞા ઉપર પૂજ્યશ્રીએ વિસ્તારથી કમાલ વિવેચન કર્યું છે.
શુધ્ધ આજ્ઞા પાલનને જ તરણોપાય કહીને તેનો અપરંપાર મહિમા વર્ણવ્યો છે.
Game teva sanyogo ma mast rehva ichta hov to! Tamara minus (dosho) juvo. Bija na plus (guno) juo.
Chandrashekharvijayji M.S.
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.
Chandrashekharvijayji M.S.
Dhikkar thi jeet melava karta to vatsalya thi haar paamvi sari che..