નામ: પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજા
જન્મદિવસ: સં. 1990, ફાગણ સુદ પાંચમ, તા.: 18-1-1934
જન્મસ્થળ: ઈર્લા, મુંબઈ
મૂળવતન: રાધનપુર, ગુજરાત
માતાશ્રી: સુભદ્રાબેન
પિતાશ્રી: કાંતિલાલ
સંસારી નામ: ઇન્દ્રવદન
ભાઈ: પ્રફુલભાઈ
બહેનો: મંજુલાબેન, નીરુબેન
વ્યવહારિક અભ્યાસ: ધોરણ-10 (મેટ્રીક)
દીક્ષાદિવસ: સં. 2008, વૈશાખ વદ-6, તા.: 15-5-1952
દીક્ષાસ્થળ: મોતીશા જૈન દેરાસર રંગમંડપ, ભાયખલા, મુંબઈ
ગુરુદેવશ્રી: સિદ્ધાંતમહોદધિ પૂજ્ય આચાર્ય શ્રી પ્રેમસૂરીજી મ. સા.
ગ્રહણ-આસેવન શિક્ષાદાતા: વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીજી મ. સા.
વડીદીક્ષા: સં. 2008, અષાઢ સુદ -14, તા.: 6-7-1952 (મુંબઈ)
વિદ્યાદાતા : સ્વ। આ। શ્રી। ગુણાનંદસૂરીજી મ. સા., પં। શ્રી ઈશ્વરચંદ્રજી, પં। શ્રી દુર્ગાનાથજી ઝા, પં। શ્રી પ્રભુદાસભાઈ પારેખ
ગણિ/પંન્યાસ પદ: સં. 2041, માગસર સુદ-10, તા.: 2-12-1984 (તપોવન, નવસારી)
પ્રથમ શિષ્ય: મુનિ ચન્દ્રસેનવિજયજી મ. સા.
અંતિમ શિષ્ય: મુનિ જ્ઞાનહંસવિજયજી મ. સા.
કુલ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર: 94
ગૃહસ્થ પર્યાય: 18। વર્ષ
સંયમ પર્યાય: 60। વર્ષ
આયુષ્ય: 78।। વર્ષ
પ્રથમ ચાતુર્માસ: મુંબઈ, ભાયખલા
અંતિમ ચાતુર્માસ: આંબાવાડી, અમદાવાદ
કુલ ચાતુર્માસ: 60
પંન્યાસપદારુઢ શિષ્યો: 11
પ્રથમ પુસ્તક: સાધનાની પગદંડીએ
અંતિમ પુસ્તક: તો ભારત નો ઉદય ચપટી માં
કુલ પુસ્તક લેખન: 261
જ્ઞાનગંગા પ્રસાર માધ્યમ: મુક્તિદુત, વિરતિદૂત, ટપાલ દ્વારા તત્વજ્ઞાન, ઘેર બેઠા તત્વજ્ઞાન
અધ્યયનોપયોગી પુસ્તક: ન્યાયસિદ્ધાંત મુક્તાવલિ, સામાન્ય નિરુક્તિ
સંસ્કૃત-સર્જન: 1 લાખ શ્લોક પ્રમાણ જીવસમાસ વૃતિ (અમુદ્રિત)
જ્ઞાનસંપદા: વ્યાકરણ, ન્યાય, કર્મગ્રંથો, પ્રકરણ ગ્રંથો, દાર્શનિક ગ્રંથો, આગમ ગ્રંથો ઠોસ અભ્યાસ, 20000 શ્લોકો સ્વનામવત કંઠસ્થ
દર્શનસંપદા: પરમાત્માભક્તિ માં તરબોળ બની અનેકવાર પ્રભુવિરહ થી વ્યથિત થયા હતા
ચારિત્ર સંપદા: ચારિત્રચારોનું સુવિશુદ્ધ પાલન, પોતાના માતુશ્રી સામે પણ ન જોતાં, પૂંજવાપ્રમાજવા નું અદ્ભુત પાલન, મહાવ્રતો ની અડગતા ઇત્યાદી
શાસનપ્રભાવકતા: વ્યાખ્યાનો, શિબિરો દ્વારા અનેકોમાં જીનશાસનની સ્થાપના કરી
તીર્થરક્ષા: અંતરીક્ષજી તીર્થરક્ષાથે 3-3 ચાતુર્માસ કર્યા। સમેતશિખરજી, ગિરનારજી મશ્રીજી તીર્થોની રક્ષા માટે પણ કમર કસીને પ્રયત્નો કર્યા
જીવરક્ષા: દુષ્કાળ વખતે કરોડોનું ફંડ કરી અબોલ જીવોને અભયદાન, નૂતન 56000 કતલખાના થતા અટકાવ્યા, દેવનાર કતલખાનાનું આધુનિકીકરણ અટકાવ્યું। બુંદેલખંડ દુષ્કાળ, પૂર, સુનામી, ભુકંપાદિ વખતે પ્રેરણા કરી દાનવીરોના દાન ને અને યુવાનોની યુવાશક્તિને જીવરક્ષાથે જોડ્યા
વિશિષ્ટ ગુણો: ગુરુપારતંત્ર્ય, સરળતા, પાપભીરુતા, સુવિશુદ્ધ બ્રહ્મચર્ય, શાસ્ત્ર નિષ્ઠા, શ્રમણઘડતર, શુદ્ધ પ્રાયશ્ચિત, શાસનપ્રભાવકતા, અંન્તરમુખતા, નિર્મળ પરિણતી, વૈરાગ્ય, શાસનરાગ, નીડરતા ઇત્યાદી
કાળધર્મ દિવસ:સં. 2067, શ્રાવણ સુદ-10, તા.: 8-8-2011
કાળધર્મ સમય:બપોરે 12-40 કલાકે
કાળધર્મ સ્થળ:આંબાવાડી, અમદાવાદ
સમાધિ સ્થળ: તપોવન સંસ્કારપીઠ, અમદાવાદ

બધા બાળકો ઈશ્વરના ભેટ છે પરંતુ તેમાંના થોડા "અપવાદ" હોય છે. બાળપણ માં જ ગુરુદેવ એ એવા ગુણો કેળવી લીધા હતા કે જે તેમને બીજા બધા બાળકો થી અલગ કરતા હતા. તેમના માતા-પિતા સુભદ્રાબેન અને કાન્તિલાલ એ તેમનું નામ "ઇન્દ્રવદન રાખ્યું હતું. કદાચ તેઓ ઇન્દ્ર જેવા લગતા નહોતા પરંતુ તેમનું પુણ્ય, પ્રતિષ્ઠા અને સત્વ ઇન્દ્ર થી ઓછા નહોતા. પરિવાર એ એક સામાન્ય માણસ આખી જીંદગી કમાવાનું વિચારી શકે એટલું કમાઈ લીધું હતું. તેમના વડવા રાધનપુર ના "રાવ બહાદુર" હતા અને ઇન્દ્રવદન પણ મજબૂત હતા. તેમણે બાળપણ થી જ જૈન ધર્મ ના ઉપદેશ સાંભળવાનું શરૂ કરી દીધું હતું. ગુરુદેવ હમેશા એમના પ્રવચન માં કહેતા કે એમના માતા એમને જ્યાં સુધી એ કુતરા ને રોટલી નહિ ખવડાવતા ત્યાં સુધી એમને પણ જમવા નહિ દેતા. આ નાના કાર્યો અને ઉપદેશો એ એમને મહાન બનાવ્યા હતા. તેઓ સ્કૂલ માં ઘણા જ હોશિયાર હતા પરંતુ તેઓ PT ના ક્લાસ છોડી દેતા હતા કારણકે એમને સ્કૂલ ના મેદાન માં ઘાસ પર કસરત કરવી પડતી. તેઓ ને બાળપણ થી જ પાપ અને દોષ નો ભય લાગતો. તેઓ PT ના ક્લાસ ને ટાળવા માટે બેન્ચ ની નીચે છુપાઈ જતા પરંતુ જયારે તેમના સર અને એમના સહપાઠી ઓ એમને મેદાન પર જબરદસ્તી લઇ જતા ત્યારે તેમની આંખોમાંથી આંસુ વહી જતા. તેમનો અંતરાત્મા તેમને તેમના પગ હેઠળ લીલા ઘાસ પર રહેલા નાના જંતુ ને પણ નુકસાન પહોચાડવા બદલ ડંખતો. તેમની એટલી નાની ઉંમર માં આટલી જીવદયા એમના માં તીર્થંકર જેવા વિશિષ્ટ તત્વો તે ધરાવે છે એ દર્શાવતું હતું. જયારે તેમના માતા ઘરની કોઈ નકામી વસ્તુ ના બદલા માં વાસણ કે પૈસા લેતા, તો ગુરૂદેવ એ પૈસા લઇ ને મંદિર ની બહાર રહેલા ભિખારી ને આપી દેતા. એમનું હૃદય કરુણા અને સહાનુભૂતિ થી ભરેલું હતું. 12 વરસ ની ઉંમરે એમને એમના માતા-પિતા સમક્ષ બનવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ એમના પરિવારે એમની વાત ને સર્વસંમતિથી ફગાવી દીધી. પરંતુ મહાન આત્માઓ ક્યારેય વિશ્વ ના ભરોસે નથી બેસતા પરંતુ તેઓ પોતાની અંદર અને બહાર એક અલગ વિશ્વ નું નિર્માણ કરે છે. એ જ જુસ્સા સાથે, ઇન્દ્રવદન એ સારા કર્મો કરવાનું ચાલુ રાખ્યું. છેવટે તેમની મજબુત ઈચ્છા તેમને માર્ગ બતાવે છે. તેઓ વૈરાગ્યદેશના દક્ષ આચાર્ય શ્રી ભુવનભાનુંસુરીજી મહારાજ સાહેબ ને મળ્યા. પૂજ્ય આચાર્ય ની શિબિરો જિનશાસનના ઈતિહાસ માં ક્રાંતિકારી હતી અને પૂજ્ય ગુરૂદેવ એ બાળકો માં થી હતા જે એમની શિબિરો માં જતા. એ કલાકો સુધી શિબિર માં એમના વ્યાખ્યાનો સાંભળતા અને શિબિર પત્યા પછી પણ ખૂણા માં બેસી ને કલાકો સુધી રડ્યા કરતા. તેમના પુર્વજનમ ની ઈચ્છાઓ તદ્દન સ્પષ્ટ અને તાકાતવર બની હતી. એમણે પોતાના સંસાર ત્યાગ ના નિર્ણય ને પરિવાર સમક્ષ રાખ્યો અને પહેલા ની જેમ જ ભયંકર વિરોધ નો સામનો કર્યો પરંતુ સોના ની ખાસિયત એ છે કે એને જેટલું તપાવો એટલું ચળકાટ મારે છે. તેઓ પાણી ના વહેણ ની સામે તરવા માંગતા હતા અને દરેક મુસીબત નો સામનો કરવા તૈયાર હતા. 18 વર્ષ ની ઉંમરે પરિવાર ના દરેક જણા એ ગુરૂદેવ ના મજબૂત વ્યક્તિત્વ સામે ઝૂકવું પડ્યું અને મુંબઈ એ છોકરા ના વર્ષીદાન યાત્રા નું સાક્ષી બન્યું કે જે આવનારી પેઢીઓ ને બદલવાનો હતો. પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ પ્રેમસૂરીજી મહારાજા એ એમને રજોરહણ અર્પણ કર્યું.

Chandrashekarvijayji Childhood Chandrashekarvijayji Childhood Chandrashekarvijayji Childhood Chandrashekarvijayji Childhood Chandrashekarvijayji Childhood Chandrashekarvijayji Childhood Chandrashekarvijayji Childhood Chandrashekarvijayji Childhood Chandrashekarvijayji Childhood Chandrashekarvijayji Childhood Chandrashekarvijayji Childhood Chandrashekarvijayji Childhood

પૂજ્ય ગુરુદેવ કલાકો સુધી વૈરાગ્યદેશના દક્ષ આચાર્ય શ્રી ભુવનભાનુંસુરીજી મહારાજ સાહેબ ની શિબિર માં એમના વ્યાખ્યાનો સાંભળતા અને શિબિર પત્યા પછી પણ ખૂણા માં બેસી ને કલાકો સુધી રડ્યા કરતા. તેમના પુર્વજનમ ની ઈચ્છાઓ તદ્દન સ્પષ્ટ અને તાકાતવર બની હતી. એમણે પોતાના સંસાર ત્યાગ ના નિર્ણય ને પરિવાર સમક્ષ રાખ્યો અને પહેલા ની જેમ જ ભયંકર વિરોધ નો સામનો કર્યો પરંતુ સોના ની ખાસિયત એ છે કે એને જેટલું તપાવો એટલું ચળકાટ મારે છે. તેઓ પાણી ના વહેણ ની સામે તરવા માંગતા હતા અને દરેક મુસીબત નો સામનો કરવા તૈયાર હતા. 18 વર્ષ ની ઉંમરે પરિવાર ના દરેક જણા એ ગુરુદેવ ના મજબૂત વ્યક્તિત્વ સામે ઝૂકવું પડ્યું અને મુંબઈ એ છોકરા ના વર્ષીદાન યાત્રા નું સાક્ષી બન્યું કે જે આવનારી પેઢીઓ ને બદલવાનો હતો. પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ પ્રેમસૂરીજી મહારાજા એ એમને રજોરહણ અર્પણ કર્યું. જિનશાસન માં દીક્ષા ના શપથ લેવા એક નસીબ ની વાત છે પરંતુ આ જિનશાસન નું નસીબ હતું કે એક સિંહે નાની વય માં દીક્ષા લીધી.

Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha Chandrashekarvijayji Diksha

જે ક્ષણ થી ઇન્દ્રવદન, ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબ બન્યા જાણે એ ક્ષણ થી એમનું અસ્તિત્વ જ બદલાઈ ગયું. તેઓ સ્કૂલ માં સામાન્ય વિદ્યાર્થી તરીકે જાણીતા હતા પરંતુ એમની એમના ગુરૂ પ્રેમસુરીજી મહારાજ સાહેબ પ્રત્યે ની તીવ્ર ગુરૂભક્તિ અને સમર્પણ એમને જ્ઞાન પ્રાપ્તિ માટે જાણે નવો જન્મ આપ્યો. દીક્ષા ના 14 વર્ષ સુધી એમણે પાછા વળી ને ક્યારેય જોયું નથી અને ક્યારેય પોતાના સગા અને શ્રાવકો ને પણ મળવાનો પ્રયત્ન નહોતો કર્યો. તેઓ પોતાના ગુરૂ ના જ સૌથી પ્રિય શિષ્ય નહોતા પરંતુ તેઓ કાશી વિદ્યાપીઠ ન્યાય ગુરૂ ના પણ સૌથી પ્રિય શિષ્ય હતા. લોકો પાસે હમેશા ગુરુદેવ વિશે એક પ્રશ્ન હતો કે ગુરુદેવ ના પ્રયાસો વધુ હતા કે એમની બુદ્ધિક્ષમતા. જયારે તેઓ સૌથી અઘરા ગ્રંથ "ન્યાય ગ્રંથ" નો અભ્યાસ કરતા હતા ત્યારે એમણે હોમવર્ક તરીકે ઘણા બધા પુસ્તકો લખ્યા હતા. સ્વાધ્યાય એ સાધુ જીવન નું હૃદય છે અને ગુરુદેવ એ સ્વાધ્યાય કરવા માં હમેશા આગળ હતા. રાત્રી સ્વાધ્યાય એ પ્રેમ સુરીજી મહારાજ સાહેબ ને ઘણું પ્રિય હતું અને ગુરુદેવ એમના ગુરૂ ને રાખવા દરરોજ પ્રતિક્રમણ પછી 4 કલાક રાત્રી સ્વાધ્યાય કરતા. ગુરુદેવ ઘ્યાન ના રાજા હતા કારણકે એમણે નાની ઉંમર માં જ ગુરૂકૃપા થી 20000 શ્લોકો મોઢે કરી લીધા હતા. એમની તત્વજ્ઞાન ઉપર પણ જોરદાર પકડ હતી. એમના શરૂઆત ના પુસ્તકો એમના શાસ્ત્ર જ્ઞાન ના ઊંડાણ ના સાક્ષી હતા. બહાદુર અને ક્રાંતિકારી એ એમનો મહાન સ્વભાવ હતો. જયારે એમને કંઈક ખોટું લાગતું તો તેઓ એનો પ્રચંડ તાકાત થી વિરોધ કરતા ભલે એ પોતાની ભીતર નો કે બહાર નો પ્રોબ્લેમ હોય. તેઓ પોતાની ભૂલ નો સ્વીકાર કરવામાં મહાન હતા. તેઓ પોતાની નાની ભૂલો નો જાહેર માં સ્વીકાર કરવામાં પણ ખચકાતા નહિ અને ખરેખર એના માટે અંદર ની શક્તિઓ ની જરૂરત હોય છે. પોતે ઈતિહાસ માં એક મહાન વ્યક્તિ હોવા છતા તેઓ એક સામાન્ય વ્યક્તિ અને બહુ સરળ હતા કારણ કે તેઓ જયારે બાળકો સાથે બેસતા ત્યારે તેઓ ને તેમના થી કોઈ અલગ નહિ કરી શકતા. તેઓ કાયમ એક બાળક જેવા હતા. ગુરુદેવ ને 84 શિષ્યો હતા પરંતુ તેમને ક્યારેય એ બાબત નું અભિમાન નહોતું અને મન માં એ વિચાર પણ નહોતો આવતો. તેઓ કેટલીયે વાર પોતાના શિષ્યો ની સામે રડતા અને કહેતા કે "જયારે તમે લોકો મોક્ષ માં જાઓ ત્યારે આ પાપી ચંદ્રશેખર ને તમાર પગ નો અંગુઠો પકડવા દેજો". તેઓ આદર્શ મુની જીવન ના એક સંપૂર્ણ પરિભાષા હતા. તેઓ ને ક્યારેય બીજા ને સહમતી લેવા વિનંતી નહોતી કરવી પડતી કારણકે એમનું વર્તન જ વિશ્વ માટે મોબાઈલ પ્રવચન જેવું હતું. તેઓ પોતે જ વિશાળ જ્ઞાની હતા અને એ જ્ઞાન ને તેઓ એ તપોવન અને સંસ્કૃત પાઠશાળા ના માધ્યમ થી લોકો સુધી પહોચાડ્યું.

Chandrashekarvijayji Muni Jeevan Chandrashekarvijayji Muni Jeevan Chandrashekarvijayji Muni Jeevan Chandrashekarvijayji Muni Jeevan Chandrashekarvijayji Muni Jeevan Chandrashekarvijayji Muni Jeevan Chandrashekarvijayji Muni Jeevan Chandrashekarvijayji Muni Jeevan Chandrashekarvijayji Muni Jeevan Chandrashekarvijayji Muni Jeevan Chandrashekarvijayji Muni Jeevan Chandrashekarvijayji Muni Jeevan Chandrashekarvijayji Muni Jeevan Chandrashekarvijayji Muni Jeevan Chandrashekarvijayji Muni Jeevan Chandrashekarvijayji Muni Jeevan Chandrashekarvijayji Muni Jeevan

તેમના પ્રવચન હંમેશા લોકો માટે એક આંખ ને ખોલનારું રહેતું અને તેમણે એક અનન્ય દ્રષ્ટિ અને પરિમાણ સાથે અદભૂત અને સતત જ્ઞાન ની ધારાઓ વહેવડાવી હતી. ગુરુદેવ ની શ્રદ્ધા અને ખુમારી આખા વિશ્વ માં અજોડ હતી. કોઈકે સાચું જ કહ્યું હતું કે "આપણી પાસે લોહી, સુગર અને ગ્લુકોમા ટેસ્ટ કરવાની સગવડ છે પરંતુ જો લોહી માં રહેલી ખુમારી ટેસ્ટ કરવાની સગવડ હોત તો ગુરુદેવ સૌથી આગળ હોત". આ તમામ ખુમારી અને શુદ્ધતા તેમની પરમાત્મા વર્ધમાન તરફ ની વિસ્ફોટક શ્રદ્ધા ની પેદાશ હતી. એમણે લખેલું શાસન ગીત "મહાવીર નું શાસન ગાજે છે" એ અત્યારે સુધી ની સૌથી લોકપ્રિય રચના છે. તેઓ સમુદાય ના મતભેદ માં ક્યારેય પડતા નહિ. એ સમય નું એમનું સૌથી લોકપ્રિય વાક્ય હતું કે "જો તમારા ગુરૂ કહે કે સંવત્સરી સોમવાર ના છે તો સોમવારે કરો, જો તેઓ કહે કે મંગળવારે છે તો મંગળવારે કરો અને જો બધા ગુરૂ ભગવંતો સર્વસંમતી થી બુધવારે કરવા તૈયાર હોય તો હું બુધવારે પણ કરવા તૈયાર છુ। ઝગડા પતાવવા માટે સંવત્સરી આવે છે અને અપને સંવત્સરી માટે જ ઝગદીયે છીએ। નિયતિ ને સલામ". આ વાક્ય એમની સમ્યક્ત્વ માટે ની મહાન પારદર્શિતા સૂચવે છે. સમ્યગ ચારીત્ય પાલન એ ગુરુદેવ ના જીવન નો અદભૂત ગુણ હતો. મુહપત્તિ નો ઉપયોગ, રજોરહણ નો ઉપયોગ અને નવ વાદ નું ચુસ્ત પાલન એ અદભૂત હતા. એ ફક્ત આરાધક નહોતા પરંતુ એક મહાન પ્રભાવક હતા. આ સત્ય એના પર થી જોઈ સકાય છે કારણકે એમના બધા શિષ્યો એ પણ આ ગુણ કેળવ્યો છે. તેમના શિષ્યો બીજા બધા સાધુ ભગવંતો થી અલગ હતા કારણકે એમના માથા પર "વાચના" માં પારંગત વડા હતા. ગુરુદેવ ક્યારેય કોઈ વિવાદ માં પડતા નહિ પરંતુ તેમને એમનો ક્યારેય ડર નહોતો. એમના જીવન માં એમણે "50000" વ્યક્તિઓ ને ભવ આલોચના કરાવી હતી જે એક રેકોર્ડ છે. "પાપો ની શુદ્ધિ" એ એમના જીવન નું મુખ્ય સૂત્ર હતું. તેઓ સાચે જ ઈશ્વર ની એક મહાન બનાવટ હતી. વિશ્વ ખરેખર નસીબદાર છે કે વિશ્વ ને આવી વિભૂતિ નો સાથ 78 વર્ષો સુધી મળ્યો. પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ ના મુની જીવન નો જય હો!!!

પરમ પૂજ્ય શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ એક એવું વૃક્ષ હતું કે એવા લોકો ને છાયડો આપતા કે જેઓ એમની પાસે માંગતા પણ નહિ. આને આપણી શાસ્ત્રીય ભાષા માં "નિષ્કરણ બંધુ" ના નામ થી ઓળખાય છે. લોકો ને મદદ કરવી એ એમનો સ્વભાવ હતો. એમણે પોતાની જીંદગી માં ક્યારેય "આચાર્ય" પદ સ્વીકાર્યું નહોતું પરંતુ પોતાની સરળ અને શાનદાર જીવન થી "આચાર્ય" કરતા વધારે આદર મેળવ્યું હતું. એનું સૌથી અદભૂત ઉદાહરણ એ હતું કે બધા આચાર્ય ભગવંતો એમને ગુરૂવંદન કરતા. તેઓ દરેક સમુદાય અને દરેક વ્યક્તિ દ્વારા સ્વીકાર્ય હતા. થરાદ, ગુજરાત માં "3 થોય" સમુદાય ના શ્રાવકો કોઈ અન્ય સમુદાય ના ગુરૂ ભગવંતો ને તેમની પાટ પર બેસવાની પરવાનગી નહોતા આપતા પરંતુ ગુરુદેવ જયારે થરાદ પાસે થી વિહાર કરી રહ્યા હતા ત્યારે ત્યાં ના શ્રાવકો એ ગુરુદેવ ને ત્યાં પધારવા અને પાટ પર બેસી વ્યાખ્યાન આપવા વિનંતી કરી. આ જ બતાવે છે કે તેઓ દરેક જૈન અને અજૈન દ્વારા સ્વીકાર્ય હતા. કેટલાય અજૈનો એ આ "યુગપુરુષ" ના પ્રવચનો સાંભળી આજીવન માટે શાકાહારી ભોજન ની પ્રતિજ્ઞા લીધી હતી. કેટલાયે મુસલમાનો એ ફક્ત આ ગુરુદેવ ના દર્શન માત્ર થી પ્રાણીઓ ની કતલ નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. એમને પોતાની શિબિરો માં રામાયણ અને મહાભારત ને સમાવી ને એક નવી જ દિશા લોકો ને આપી હતી.

Chandrashekharvijayji Shashan Prabhavana Chandrashekharvijayji Shashan Prabhavana Chandrashekharvijayji Shashan Prabhavana Chandrashekharvijayji Shashan Prabhavana Chandrashekharvijayji Shashan Prabhavana Chandrashekharvijayji Shashan Prabhavana Chandrashekharvijayji Shashan Prabhavana Chandrashekharvijayji Shashan Prabhavana Chandrashekharvijayji Shashan Prabhavana Chandrashekharvijayji Shashan Prabhavana Chandrashekharvijayji Shashan Prabhavana Chandrashekharvijayji Shashan Prabhavana Chandrashekharvijayji Shashan Prabhavana Chandrashekharvijayji Shashan Prabhavana Chandrashekharvijayji Shashan Prabhavana Chandrashekharvijayji Shashan Prabhavana Chandrashekharvijayji Shashan Prabhavana

તેઓ "ભગવદગીતા" પર પણ પ્રવચનો આપતા જેને સાંભળવા હજારો હિંદુઓ આવતા. તેમણે "અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ" ની સ્થાપના કરી અને એમાં જોડાયેલા યુવાનો એ જિનશાસન ને મજબુત અને સઘન બનાવ્યું. "વર્ધમાન સંસ્કાર ધામ" અને "વીર સૈનિકો" ની ફોજ એ આખા ભારતના જૈન સંઘો ની જીવાદોરી તરીકે કામ કરે છે. એમને "તપોવન સંસ્કાર પીઠ" ની પણ સ્થાપના કરી કે જે બાળકો માટે એક સ્વર્ગ સમાન છે. ગુરુદેવ ના લોહી ના રગે રગ માં આર્ય સંસ્કૃતિ વહેતી હતી. તેઓ "મેકોલે" શિક્ષણ ના સખત વિરોધી હતા કારણકે તેઓ માનતા કે મેકોલે શિક્ષણ પ્રણાલી બાળકો ને મુક માત્ર બનાવે છે. ધર્મ નું પશ્ચિમીકરણ એમને ક્યારેય મંજુર નહોતું અને એમણે ક્યારેય સ્વીકાર્યું નહોતું. આટલા આદરણીય અને નામાંકિત હોવા છતા એમણે ક્યારેય સંઘ, પ્રતિષ્થા કે ઉપધાન ને પ્રોત્સાહન નહોતું આપ્યું. એમનું સંપૂર્ણ લક્ષ્ય જીવદયા અને અનુકંપા હતું. તેઓ દીર્ધદ્રષ્ટા હતા. એમના રાષ્ટ્ર અને ધર્મ માટે ના કામો અગણિત છે. આવા "ઉર્જા પુરુષ" ને સલામ કે જેના સ્પંદનો આવનારી પેઢી ને શુદ્ધ કરતી રહેશે. આ અમર ક્રાંતિકારી સેનાની ને લાખ લાખ વંદન!!!

કરૂણા

એવું કેહવાય છે કે "કરૂણા" એ બધા તીર્થંકરો ની માતા છે અને બેશક ગુરુદેવ એક અરિહંત નો આત્મા હતો એથી જ "કરૂણા" એમના હૃદય માં 24x7 અને 365 દિવસો વહેતી હતી. ગુરુદેવ બાળપણમાં જિજ્ઞાસુ અને એમની કરૂણા ગરીબ લોકો માટે જોડાયેલ હતી. એમની માતા સુભદ્રાદેવી એ પોતે જમે એ પેહલા કુતરા ને રોટલી ખવડાવવી એવી ગુરુદેવ ને પાડેલી આદત અદભુત રીતે કામ કરી રહી હતી. ગુરુદેવ આખા વિશ્વ માટે કરૂણા થી ભરપુર હતા. 80 ના દાયકા માં જયારે દુકાળ હતો અને પશુઓ ને ઘાસ પણ નહોતું મળતું એવા સમયે ગુરુદેવ એ બીડુ ઝડપ્યું અને મુંબઈ આવ્યા અને એમણે દરરોજ ના 2 લાખ રૂપિયા પાંજરાપોળ માટે એકત્રિત કર્યા. તેઓ જયારે તપોવન માં હતા અને એક કુતરો આખી રાત રડતો હતો. એમણે સવાર મા બધા ટસ્ટીઓ ને બોલાવ્યા અને એમની સામે પોકે પોકે રડ્યા અને કહ્યું કે "ચંદ્રશેખર વિજય ના જીવન મા ધૂળ પડી કારણ કે એ એમના જીવન માં એક કુતરા ને પણ રડતા અટકાવી ના શક્યો". કુતરા ના આઘાત મા એ આખો દિવસ ઉપાશ્રય મા રડતા રહ્યા. આવા તો અસંખ્ય પ્રસંગો એમના જીવન ના છે. 16 વર્ષ પહેલા ગુજરાત ના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ ની સામે ગુજરાત માં ગૌ-હત્યા અટકાવવા નો કાયદો પસાર કરવા યુદ્ધ છેડ્યું હતુ અને લોકો ના વિશાળ વિરોધ અને પુષ્કળ જાગૃતિ પછી મુખ્યમંત્રી એ ઝૂકવુ પડ્યુ હતુ અને એમને લોકો ને કહ્યુ કે "હું હવે પછી મારા રાજ્યમા ગૌ-હત્યા પ્રતિબંધ કરીશ. મને ખબર છે કે મારા મુસ્લિમ વોટ બેન્ક માટે અત્યંત ખરાબ અસર કરશે પણ ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબ અને તેમની વિશાળ બુદ્ધિશક્તિ એ મારા માટે કોઈ વિકલ્પ છોડ્યો નથી. ગુરુદેવ એ આખી સરકાર ને નિસહાય બનાવી દીધી છે. અમે આ જૈન સાધુ ના ઘુંટણયે પડી ગયા છીએ.". જયારે ભાજપ સરકાર નું શાસન હતું ત્યારે પણ આયોજન પંચે સમગ્ર ભારતમાં 56.000 નવા કતલખાના બનાવવાની યોજના બનાવી હતી. જયારે ગુરુદેવ ના કાનો પર આ વાત પડી ત્યારે, ક્ષણ નો પણ વિલંબ કાર્ય વગર એમણે જાહેરાત કરી કે જો સરકાર આ પ્રસ્તાવ પાછો નહી લેશે તો તેઓ દિલ્હી આવશે અને ચાંદનીચોક માં આત્મ વિલોપન કરશે. એમની ધમકી અને સહી ની ઝુંબેશ કામ કરી ગઈ અને ફક્ત એક વાક્ય ધ્વારા એમને કરોડો પશુઓ ની હત્યા અટકાવી દીધી. જયારે દેવનાર ના કતલખાના ને આધુનિક બનાવાની વાત હતી ત્યારે તેઓ મુંબઈ આવ્યા અને બધા જૈનો ને રસ્તા પર ઉતરી આવવા કહ્યું. આખરે એ પ્રસ્તાવ પણ સરકાર એ કચરા પેટી માં નાખવો પડ્યો. ગુરુદેવ ની કરૂણા અનંત હતી. આપણે ફક્ત એટલું જ કહી શકીએ કે આ ભગવાન મહાવીર ની કરૂણા જ હતી કે સમગ્ર વિશ્વ ની કરૂણા મૂર્તિ સમાન ગુરુદેવ ને આપણ ને જોવા, સાંભળવા અને સ્પર્શ કરવાનો અવસર મળ્યો.

પર્યુષણ આરાધના

અભણ વ્યક્તિ આજનું વિચારી શકે છે, ભણેલો વ્યક્તિ કાલ નું વિચારી શકે છે પરંતુ ગીતાર્થ વ્યક્તિ ભવિષ્ય ને જોઈ શકે છે. ગુરુદેવ એક ગીતાર્થ મહાત્મા હતા। આનુ એક ઉદાહરણ વીરસૈનીકો દ્વારા કરાવાતી પર્યુષણ પર્વ ની આરાધના છે. આજ થી 35 વર્ષો પહેલા ગુરુદેવ ને વિચાર આવ્યો હતો કે સાધુ-સાધ્વી ભગવંતો ની સંખ્યા શ્રાવકો ની સરખામણી માં ઘણી ઓછી છે અને બધે જૈનો વસે છે ત્યાં સાધુ-સાધ્વી ને પહોચવું અશક્ય છે. તેમણે આવા દુર રહેતા જૈનો તરફ કરૂણા રાખી ને એવા વીરસૈનીકો ની ટીમ તૈયાર કરવાનું વિચાર્યું કે જેઓ ગુરુદેવ દ્વારા ઘડાયેલા કડક નિયમો નું પાલન કરે અને પર્યુષણ ના પ્રવચનો વાંચી શકે. આ ફરીથી એક ક્રાંતિકારી પગલું હતું અને દરેક ક્રાંતિ વિરોધ વિશાળ દ્વારા જોડાયેલ છે. ગુરુદેવ હમેશા એક મંત્ર નો તેમના પ્રવચન માં પુનરાવર્તન કરતા અને પોતાના જીવન માં પણ એ જ મંત્ર પર કાયમ હતા કે "વિશાળ સ્પર્ધા હોવા છતાં, સિંહ ની કિકિયારી ઓછી થતી નથી." એમણે ટીમો ને રવાના કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે જિનશાસન વૈશ્વિક ગતિશીલ ફેરફાર જોવા માટે સમર્થ હતું. ભારત બહાર થી પણ લોકો કે વીરસૈનીકો ની ટીમ ને બોલાવાનું શરૂ કર્યું અને ગુરુદેવ ની કૃપા ને લીધે પર્યુષણ ના ઓછામાં ઓછા 8 દિવસ પોતાનો ધર્મ પાળી શક્યા. હજારો અને લાખો લોકો ને આ રીતે પર્યુષણ આરાધના નો લાભ મળ્યો અને આનો બધો શ્રેય ફક્ત ગુરુદેવ ને જાય છે.

યુવા ઉદ્ધાર

એક શબ્દ કે જેને ગુરુદેવના જીવન થી અલગ કરી શકાય નહિ એ છે "યુવા ઉત્થાન". આપણે એવું કહી શકીએ કે એ એમના માટે જ જનમ્યા હતા. આપણે હમેશા એવું કહીએ છીએ કે એકલો માણસ કઈ નહિ કરી શકે પરંતુ જીનશાસન ના આ સિંહ એ એકલા હાથે સમગ્ર પેઢી ને બદલી. દીક્ષા ના 16 વર્ષ પછી જયારે આ ગુરુદેવ એ એમનું પહેલું પ્રવચન આપ્યું ત્યારે કોઈ એ વિચાર્યું નહોતું કે આ ગુરુદેવ એક ક્રાંતિકારી ગુરુદેવ માં પરિવર્તન પામશે. તેમના મોં માંથી શબ્દો નહોતા નીકળતા પરંતુ આગ નીકળતી. એવું કેહવાતું કે 80 ના દાયકા માં ગુરુદેવ ને સાંભળ્યા પછી જો તમારું જીવન બદલાય નહિ તો તમારે એક હૃદય ના ડૉક્ટર ને બતાવાની જરૂર છે. ભારત ના આધુનિકીકરણ અને ખ્રિસ્ત્રીકરણને સમજવા માટે યુવાનો માટે એક નવી દ્રષ્ટિ આપી હતી. એક મહારાજ સાહેબ એ સાચું જ કહ્યું હતું કે તમે મુંબઇ માંથી ચંદ્રશેખર વિજયજી ની બાદબાકી કરો તો આ મુંબઇ મોમ્બાસા બની જઈ શકે છે. એમણે "વીર સૈનિક" ના નામ થી યુવાનો ની એક ફોજ તૈયાર કરી હતી. એ દિવસો માં ગુરુદેવ કહેતા કે "બાલાસાહેબ ઠાકરે ને જો એમની શિવસેના પર ગર્વ છે તો મને મારી વીરસેના પર ગર્વ છે". જૈન રામાયણ અને જૈન મહાભારત પર તેમના પ્રવચનો અપવાદરૂપ હતા. મુંબઇ માં તેમની "રવિવારીય શિબિર" દરમિયાન બધી ટ્રેનો પ્રવચન સ્થળ તરફ જતી જોવા મળતી અને સફેદ વસ્ત્રો એ યુવાનો નો પહેરવેશ હતો અને કપાળે પીળા કલર નું મોટું તિલક જૈન હોવાનું પ્રતીતિ કરાવતું. પોતે બીમાર હોવા છતા ગુરુદેવ રોજ ના 4-5 ઇન્જેક્શન જાતે લેતા જેથી કરી ને યુવાનો ને પશ્ચિમીકરણ ના દાનવો નો પરિચય કરાવી શકે. તેમના પ્રવચનો યાદગાર હતા. 10 થી 15 હજાર લોકો એમના પ્રવચનો સાંભળવા આવતા. આજે આપણે કાળા વાળ વાલા યુવાનો ને દેરાસર ને ઉપાશ્રય માં જોઈએ છે કારણ કે આપણી ને જીનશાસન પાસે ચંદ્રશેખર વિજયજી હતા. પૂજ્ય રત્નસુંદરવિજયજી મહારાજ સાહેબ કહેતા કે જયારે કોઈ યુવાન ને ભગવાન સામે નાચતા જોવ છુ ત્યારે મને એના માં ચંદ્રશેખર વિજયજી ના દર્શન થાય છે કારણ કે આ મહાત્માએ જો યુવા શિબિરો નહિ કરી હોત તો આ યુવા વર્ગ ડિસ્કો અને પબમાંથી ક્યારેય બહાર નહિ આવ્યો હોત. ગુરુદેવ હમેશા અમારા હૃદય માં યુવાન હતા, છે અને હમેશા માટે રહેશે અને જીનશાસન અને આખું વિશ્વ એમણે કરેલા "યુવા ઉત્થાન" ના કાર્યો ને ક્યારેય ભૂલશે નહિ.

બાળ સંસ્કરણ

વિશ્વમાં ઘણા બાળ નિષ્ણાત ડોકટરો ઉપલબ્ધ છે પરંતુ માત્ર એક બાળ નિષ્ણાત કે જેમણે ફક્ત તેમના શરીર ની સારવાર નહિ પરંતુ તેમની આજ અને ભવિષ્ય ની સારવારો કરી. દેખીતી રીતે તેમનું નામ હતું ચંદ્રશેખર વિજયજી મહારાજા. જયારે ગુરુદેવ તપોવન ના ક્રાંતિકારી વિચારો સાથે આવ્યા ત્યારે એમણે કહ્યું હતું કે તપોવન એક એવી હોસ્પિટલ છે કે જે માત્ર પશ્ચિમીકરણ થી તમારા બાળકને સલામતી નથી આપતી પરંતુ એક એવી રસી પણ આપે છે કે જે તમારા બાળક ને દરેક જાત ના કીટાણુંઓ થી દુર રાખે છે. જીનશાસન માં આનો જોરદાર વિરોધ થયો પરંતુ ગુરુદેવ ને વહેણ ની સામે તરવાનું ગમતું હતું. એમણે દરેક વિરોધ નો જોરદાર સામનો કર્યો અને અંત માં જીનશાસન ને ઈતિહાસ ની એક અદ્ભુત ભેટ આપી જેનું નામ છે "તપોવન". સામુહિક અષ્ટપ્રકારી પૂજા એ એક અદ્ભુત તપોવન ની પ્રવૃત્તિ છે કે જેણે ફક્ત બાળક ને નહિ એના આખા પરિવાર ને બદલી નાખી. ફરી થી આ ભેટ પણ આપણા ગુરુદેવ ની હતી.

આજે આખા ભારત માં બધા સંઘો આ બાળ સંસ્કરણ ને પ્રોત્સાહન આપે છે અને એના મીઠા ફળો ચાખી રહ્યા છે. ગુરુદેવ પાસે એક નોંધપાત્ર દ્રષ્ટિ હતી. તેઓ બાળકો ને બહુ વહાલ કરતા અને બાળકો પણ એમની માતા "ગુરૂમાં" ને મળવા હમેશા આતુર હતા. "ગુરૂમાં" નામ ની ભેટ એ આ "તપોવન" ની છે. ખરેખર પ્રેમ, સ્નેહ તરીકે તે બધા બાળકોની માતા હતી અને જે લાગણી તેઓ બાળકો ને આપતા એ બેજોડ હતી. "પ્રભુમિલન" પણ આ તપોવન અને બાલ સંસ્કરણ ની ભેટ છે. ગુરુદેવ એ કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ ઉમર ને એમના દ્રષ્ટિકોણ થી બાકી નહોતા રાખ્યા. આપણે તીર્થંકર ભગવાન ની સાધનાઓને ક્યારેય જોઈ નથી અને એટલું કહીએ છીએ કે એમણે "સવિ જીવ કરું શાસન રસી" ની ભાવના ને પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ગુરુદેવ એ એનું જીવતું જાગતું ઉદાહરણ આપણ ને પૂરું પાડ્યું છે.

બ્રહ્મચર્ય

ગુરુદેવ અને બ્રહ્મચર્ય સમાનાર્થી શબ્દો હતા. ગુરુદેવ જે રીતે વાતો કરે છે અને વર્તે છે, તે તદ્દન અનન્ય અને સુંદર લાગે છે. એમના જીવન માં કોઈ સ્ત્રી વ્યક્તિત્વ એમની નજીક નહોતું આવી શકતું. એમના પોતાના બેન મહારાજ એમને બપોર ના સમય માં કે બીજા અસાધારણ સમયમાં મળી નહોતા શકતા. ગુરુદેવ નું બ્રહ્મચર્ય નું તેજ એટલું હતું કે એ તેઓ જાહેરમાં એકદમ સરળતાથી કેટલાક સંવેદનશીલ વિષયો પર વાત કરી શકતા હતા. આંખ મીંચીને વલણ અનુસરતા ઘણા યુવાનો ને સાચવવા નો તેમનો પ્રયાસ હતો. કેટલાયે લોકો એ એ એવો અનુભવ કરેલો કે "ગુરુદેવ" નું માત્ર નામ લેવા થી એમનું સ્ત્રી પ્રત્યે નું આકર્ષણ પીગળી જતું.

ગુરૂમાં ની વાચનાઓ વૈરાગ્ય અને સંયમ થી ભરપુર હતી ફક્ત કોલેજ ના યુવા-યુવતીઓ જ નહિ પરંતુ યુવાન સાધુ-સાધ્વી ભગવંતો એમના નિર્વિકારી અપ્રોચ થી પ્રભાવિત હતા. તેમની શુદ્ધતા તેમના શબ્દો અને વલણ માં છલકાતી હતી. જો તેઓ કે તેમના શિષ્યો ઉપાશ્રય માં હોય તો કોઈ પણ સ્ત્રી પ્રવચન પછી પ્રવેશી શકતી નહોતી. એમના કડક પ્રતિબંધ એ કેટલાયે સમુદાયો ના સાધુ-સાધ્વી ભગવંતો ને બચાવ્યા હતા. "ક્યારે બનીશ હું સાચો રે સંત" એ આ પવિત્ર સાધુ નું મનપસંદ ભક્તિ ગીત હતું. અહીં, આપણને એવા યુગપુરુષ ના અનુયાયી હોવાનો ગર્વ છે કે ખરાબ વિચારો જેમની નજીક ઊભા રહેવાની મંજૂરી નથી.

અમને શુદ્ધતા, પાવર અને આ ભૌતિક વિશ્વ સાથે લડવા માટે તાકાત આપે એવી તેમના આત્માને પ્રાર્થના કરીએ છીએ.

ગુરૂભક્તિ

એવું કહેવાય છે કે તમે જે આપશો એ તમને પાછુ મળશે. આપણે આ વાત ને ઉલટાવી ને સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુરુદેવ ના આટલા વિશાળ અનુયાયીઓ કેમ હતા. આ એકદમ સરળ વાત છે કારણ કે તેઓ કે અદ્ભુત "ગુરૂભક્ત" હતા એટલે જ આખા વિશ્વ તરફ થી એમને આવી ગુરૂભક્તિ મળી હતી. તેઓ ના ગુરુ "આચાર્ય પ્રેમસુરીજી મહારાજા" "આચાર પાલન" માં એ સમય ના સૌથી કડક ગુરૂ હતા. "સ્વાધ્યાય" એમની મનપસંદ પ્રવૃત્તિ હતી અને એટલે જ ગુરુદેવે એ બાબત પર વધારે ધ્યાન આપ્યું. દીક્ષા ના 16 વરસ સુધી એમણે આંખો બંધ કરી ને સતત ગુરુભક્તિ અને સ્વાધ્યાય પર ધ્યાન કેન્દ્રિત કર્યું . તેઓ સ્વાધ્યાય માં નિપુણ નહોતા પરંતુ દીક્ષા પછી એમણે ગુરૂ ની એવી સેવા કરી કે ગુરૂ ની અદભૂત કૃપા એમના પર વર્ષી. એમની ગુરૂભક્તિ ને સમજવા એમના ગુરૂભાઈ એ કીધેલું એક વાક્ય યાદ આવે છે કે "એમના મુનીજીવન દરમ્યાન એમણે ક્યારેય ગુરૂ ની સામે દલીલ નહોતી કરી". એમના ગુરૂ ને ખુશ કરવા એ 7 કલાક માં 70 ગાથાઓ મોઢે કરતા . એમણે 20 હજાર શ્લોકો એમના ગુરૂ ને સમર્પિત કર્યા હતા .પ્રેમસુરીજી મહારાજ સાહેબ ને રાત્રી સ્વાધ્યાય પસંદ હતો . ગુરુદેવ રાત્રી સ્વાધ્યાય ના મહારાજા હતા। તેઓ રાત્રી ના 4 કલાક સ્વાધ્યાય કરતા અને આ 240 મિનીટ માં તેઓ 4000 સંસ્કૃત શ્લોકો મોઢે કરતા. એમની "જ્ઞાન આરાધના" માં સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણ જે પૂજ્ય યશોવિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય હરીભદ્રવીજયજી મહારાજ સાહેબ ના સૌથી અઘરા ગ્રંથ છે. એ સિવાય ન્યાય ગ્રંથ, 45 આગમો, પ્રકરણ ગ્રંથ અને એવા તો ઘણા ગ્રંથો ગુરુદેવ ને કંઠસ્થ હતા. એમણે પ્રવચનો ની શરૂઆત કરી એ પછી પણ ઘણી વાર કહેતા કે મને મારા ગુરૂ ના આશીર્વાદ છે અને પોતાના ગુરૂ ના કાળધર્મ પછી પણ તેઓ હમેશા એમની પાછળ છે એવું હમેશા કહેતા. એમની ગુરૂભક્તિ ને શબ્દો માં વર્ણવી અશક્ય છે અને તેઓ પોતાનું જીવન એ રીતે જીવ્યા છે કે એમના ગુરૂ ને પણ એમના પર ગર્વ થાય.

ગુરૂમાં ની ગુરૂભક્તિ ને લાખ લાખ વંદન!!!

વૈરાગ્ય

વૈરાગ્ય નો અર્થ એ છે કે દુનિયા ની વસ્તુઓ થી અનાશક્તિ અને ગુરુદેવ માં એ ગુણ બાળપણ થી હતો. પોતાની પાસે અઢળક સંપતિ હોવા છતા અને મહારાજા ની જેમ જીવવા કરતા તેમણે સંયમ નો માર્ગ પકડ્યો. એમણે એમના એક પુસ્તક માં લખ્યું હતું કે સ્કૂલ માં વાપરવા મળતા પૈસા થી તે હમેશા ગરીબો ને ખાવાનું આપતા અને જરૂરિયાતમંદ ની મદદ કરતા. પૂજ્ય ભુવનભાનુ સુરીજી મહારાજ સાહેબ ની શિબિરો એ એમના વૈરાગ્ય ને વેગ આપ્યો. તેઓ શિબિરો પુરી થયા પછી કલાકો ના કલાકો રડતા. એમણે જે સમયે દીક્ષા લેવાનો વિચાર આવ્યો એ સમય થી એમણે "ઘી" નો ત્યાગ કર્યો. પોતાના અથાગ પ્રયત્નો પછી એમના પરિવારે એમને દીક્ષા લેવાની મંજુરી આપી અને "ઇન્દ્રવદન" પ્રેમસુરીજી મહારાજ ના 11 માં શિષ્ય બન્યા. એમના સમગ્ર મુની જીવન દરમ્યાન બોલતી વખતે મુહ્પતી નો ઉપયોગ એ દેખીતી વાત હતી અને એમની આદત બની ગયી કે જયારે જયારે તેઓ બોલતા મુહ્પતી જાતે જ મોઢા પાસે આવી જતી. એમની સાધુ-સાધ્વીજી ભગવંતો ને આપેલી વાચનાઓ એ એમનું જીવન પરિવર્તન કરી નાખ્યું.

વૈરાગી જીવન જીવવા માંગતા લોકો માટે તેઓ એક પ્રેરણારૂપ હતા. મુમુક્ષુ ઓ માટે તેઓ અદભુત પ્રેરણા ના સ્ત્રોત હતા. તેમનું શરીર મૃત્યુ પામ્યું હોઈ શકે છે, પરંતુ તેમનું "વૈરાગી જીવન" તેમના અનુયાયીઓ ના મનમાં અને જીવનમાં હમેશા રહેશે. સુપ્રસિદ્ધ માણસ ને સલામ...