સોળ ભાવનાઓ

કુલ પૃષ્ઠો: 48

ડાઉનલોડ ની સંખ્યા: 491

વાંચન ની સંખ્યા:4407

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
અનિત્યાદિ બાર ભાવનાઓ સતત ભાવવાથી ‘જડરાગ’ ઘટવા લાગે છે. મૈત્ર્યાદિ ચાર ભાવનાઓ ભાવવાથી ‘જીવપ્રેમ’ વધવા લાગે છે. ‘જડવિરાગ’ + ‘જીવપ્રેમ’ - આ બે ગુણોને પૂરબહારમાં ખીલવવા માટે આ સોળ ભાવનાઓ દરેક આત્મસાધકે જરૂર ભાવવી એવી ‘જિનાજ્ઞા’ છે. આ બે ગુણો ખીલી ઊઠે તો જીવાત્મા આલોકમાં પણ મનથી સુખી બની શકે છે. ‘બધું જ વિનાશી’- પ્રથમ અનિત્ય ભાવનાના આ વિવેચનમાં પૂજ્યશ્રીએ સંવેદનશીલ શૈલીમાં વિનાશના મહાતાંડવની રજૂઆત કરી છે. પાંચમી અન્યત્વ ભાવનામાં ‘હું એટલે આત્મા’ સિવાયની બધી વસ્તુઓ પારકી છે. જીવ તો છે સચ્ચિદાનંદસ્વરૂપ ! બધી પારકી વસ્તુઓનો રાગ ખૂબ ભયંકર છે, દુર્ગતિદાયક છે. વાસનાના તોફાનને શાંત કરવા છઠ્ઠી અશુચિ ભાવનામાં શરીરના અતિ ગંદા સ્વરૂપ પર નજર કરીને ‘શરીરરાગ’થી પાછા ફરવાની વાત કરી છે. ‘વિશ્વમૈત્રી’ - તેરમી ભાવનામાં જગતના બધા જીવો જાતજાતના ઉપકારી છે તેવું વર્ણવીને સર્વજીવો પ્રત્યે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવાની પૂજ્યશ્રીએ ખાસ ભલામણ કરી છે. સામી વ્યક્તિના માત્ર ગુણો જ જોવાની વાત ચૌદમી ભાવનામાં કરી છે. અનંત અરિહંતની માતા ‘કરૂણા’ ગુણને ખીલવવા પૂજ્યશ્રીએ સુંદર સમજણ આપી છે. પાપી જીવો જ્યારે સન્માર્ગે આવવા તૈયાર જ ન થાય ત્યારે તેવા જીવો પ્રત્યે પણ દ્વેષ નહીં કરીને ‘ઉપેક્ષા’ ભાવના ભાવવાની ખૂબ સુંદર વાતો સોળમી ભાવનામાં કરી છે.
પાના પર જાઓ: